સુરેન્દ્રનગર, ૬ જૂન-૨૦૨૫ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય, નમો કમલમ ખાતે "વન નેશન વન ઇલેક્શન" ના મુદ્દા અને આગામી ૧૫ જૂનના રોજ યોજાનાર સાયક્લોથોન તથા વોકેથોન કાર્યક્રમના આયોજન અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં પ્રદેશ ઈન્ચાર્જ વિનોદભાઈ શર્મા, સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ ગણપતસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા, તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ઈન્ચાર્જ અને સહ-ઈન્ચાર્જ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય "વન નેશન વન ઇલેક્શન" ના વિચાર અંગે જાગૃતિ લાવવાનો અને આગામી સાયક્લોથોન તથા વોકેથોન કાર્યક્રમને સફળ બનાવવા માટેની રણનીતિ ઘડવાનો હતો.
આ કાર્યક્રમો દ્વારા વધુને વધુ લોકોને આ પહેલમાં જોડાવવા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં કાર્યક્રમોના સુચારૂ સંચાલન અને વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટેના વિવિધ પાસાંઓ પર ચર્ચા કરવામાં આવી હતી.