સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ ગ્રામ્ય વિસ્તાર તેમજ તમામ તાલુકાને સ્પર્શતા પ્રશ્નોના નિવારણ હેતુ તા.૨૫ જુનના રોજ યોજાનાર સ્વાગત ફરિયાદ નિવારણ હવે તા.૨૪.૦૬.૨૦૨૫, મંગળવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરી ખાતે યોજાશે. જેની સંબંધિતોએ નોંધ નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે તા.૧૦ સુધીમાં swagat.gujarat.gov.in/cmog વેબ સાઈટ પર સાંજના ૧૮.૦૦ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે. ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે તા. ૧૦ દરમિયાન અરજી/પ્રશ્નો બે નકલમાં સંબધિત તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપવાની રહે છે.