દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાઠી, લાકડી અથવા શારીરિક ઈજા થઈ શકે તેવી કોઈ ચીજો કે વસ્તુઓ સાથે ઘર બહાર નીકળવા કે ફરવા ઉપર પ્રતિબંધ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય /વિભાજન /મધ્યસત્ર / પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત જિલ્લામાં જે ગામોમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ- ૨૦૨૫ ચૂંટણી યોજાનાર છે, તે ગ્રામ પંચાયત વિસ્તાર હેઠળ હથિયાર અંગે જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.કે.ઓઝા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર, કોઈપણ વ્યક્તિ પોતાના પરવાના વાળા કે અન્ય હથિયાર સાથે રાખી શકશે નહી તેમજ તે હથિયાર સબંધિત પોલીસ સ્ટેશનમાં જમાં કરાવવાના રહેશે. ઉપરાંત દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાઠી, લાકડી અથવા શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી કોઈ ચીજો કે વસ્તુઓ સાથે લઈ ઘર બહાર નીકળવા કે ફરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ફરજ પર રોકાયેલા પોલીસ કે અન્ય કર્મચારી/અધિકારીઓ કે જેઓની ફરજના ભાગ રૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી હોય, શારિરીક અશક્તતાના કારણે લાકડી અથવા લાઠી લઈ ફરવું જરૂરી હોય તેવા વ્યક્તિ, જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો કે તેઓને તે બેંકની કેશ કરન્સી લઈ આવવા તથા લઈ જવા માટે તેની ફરજના ભાગરૂપે બેંકના હથિયાર પરવાના વાળા શસ્ત્રો રાખવાની પરવાનગી હોય, ઔદ્યોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો વગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને સિક્યુરીટી ફરજ પરની વ્યક્તિ વેલીડ પરવાનો ધરાવતી હોય તે સંસ્થાઓ અને વ્યક્તિઓ પોતાના ફરજના ભાગ રૂપે તે સ્થળે પરવાના વાળા શસ્ત્રો રાખી શકશે.
આ જાહેરનામું સામાન્ય ચૂંટણીવાળા વિસ્તારોમાં તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.