‘એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી’ થીમ પર 'વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫'ની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, પ્રાદેશિક કચેરી, સુરેન્દ્રનગર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ઉજવણીના ભાગરૂપે સુરસાગર ડેરીના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકાની હિરાપુર દૂધ મંડળીના સભાસદો દ્વારા એક અસરકારક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિક પ્રદુષણનો અંત લાવવા માટે લોકોને જાગૃત કરવાનો હતો. સભાસદો દ્વારા પ્લાસ્ટિક એકત્રીત કરીને તેના યોગ્ય નિકાલ અને પ્લાસ્ટિક પ્રદુષણ ઘટાડવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાનમાં મંડળીના સભાસદોએ ઉમંગભેર ભાગ લીધો હતો, જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.