ચોટીલા ૦૩ જૂન ૨૦૨૫: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મોણપર ગામે એક પ્રશંસનીય ઘટના જોવા મળી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને ચોટીલા મામલતદાર તથા તેમની ટીમે અગાઉના સાથણીના હુકમના અનુસંધાને બાકી રહેલા સાથણીદારોને જમીનના પ્રત્યક્ષ કબજા સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંતર્ગત માજી સૈનિક ચંદુભાઈ ખોડાભાઈ ડોડીયાને સર્વે નંબર ૧૮૫/પૈકી ૧ માંથી ૫ એકર જમીનની માપણી કરી પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવ્યો હતો. આ સાથે તેમને કબજા પાવતી પણ આપવામાં આવી. વર્ષોની રાહ જોયા બાદ જમીન મળતા ચંદુભાઈ ડોડીયાએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા, અને મામલતદાર ચોટીલા પી.બી. જોષીનો આભાર વ્યક્ત કર્યો હતો.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.