અમરેલી, તા. ૦૨ જૂન, ૨૦૨૫: અમરેલી જિલ્લાના ધારી ખાતે સમસ્ત બતાડા ભરવાડ પરિવાર દ્વારા એક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરાપુરા આપા હીપાના નામે જમીન લઈ ત્યાં વાડી બનાવવા માટે ભૂમિ પૂજન અને યજ્ઞનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
૨ જૂન-૨૦૨૫ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં સુરાપુરા આપા હીપાની વાડી માટે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ તકે પરિવારના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં સુરેન્દ્રનગરમાં વસતા અને છેલ્લા ૨૫ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે ફરજ બજાવતા જીલુભાઈ હીરાભાઈ બતાડા(ભરવાડ)નું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જીલુભાઈ હાલ KTV ન્યૂઝ ગુજરાતી સાથે સંકળાયેલા છે. સમસ્ત બતાડા ભરવાડ પરિવાર દ્વારા તેમના પત્રકારત્વ ક્ષેત્રે આપેલા યોગદાન બદલ આ સન્માન કરાયું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પણ જીલુભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવ્યું હતું.