સુરેન્દ્રનગર જિલ્લામાં બકરી ઈદના તહેવારને અનુસંધાને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર. કે. ઓઝા દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર, આગામી તા.૦૯/૦૬/૨૦૨૫ના રોજ ૨૪:૦૦ કલાક સુધી અધિકૃત કતલખાનાની બહાર કે કોઈ જાહેર ખાનગી સ્થળોએ જ્યાં બહારથી જોઈ શકાય તેવી રીતે કોઈપણ પશુઓની કતલ કરવી નહીં.
સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારની હદની અંદર કોઇ શેરીમાં, જાહેર સ્થળોમાં દેખાય તે રીતે અન્ય કોઇ પશુની કતલ કરવી નહિ. બકરી ઈદના તહેવાર પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામું આગામી ૦૯/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે તથા આ જાહેરનામનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે. અનુસાર શિક્ષાને પાત્ર થશે.