સુરેન્દ્રનગર: રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક, અશોકકુમાર યાદવ (IPS) દ્વારા રાજકોટ રેન્જના તમામ જિલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓને પગલે, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા (IPS) ના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
આ કામગીરીના ભાગરૂપે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને નાસતા ફરતા આરોપીઓ અંગેની હકીકતો મેળવી, તપાસ કરી, અને કાયદેસરની અસરકારક કાર્યવાહી કરવા માટે ભારપૂર્વક જણાવી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેના અનુસંધાને, પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ સાહેબ અને તેમની ટીમના કર્મચારીઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે એક સઘન એક્શન પ્લાન બનાવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરીને વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે માર્ગદર્શન આપી, સાથે રહીને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઝુંબેશના ભાગરૂપે, તા. ૩૧/૦૫/૨૦૨૫ ના રોજ, પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરની ટીમે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી. તે દરમિયાન, પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી સચોટ બાતમી અને હકીકત મેળવવામાં આવી હતી. આ માહિતીના આધારે, લખતર પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૪૯/૨૦૨૧ આઇ.પી.સી કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(જે)(એન)(૩) અને પોકસો કલમ ૩(એ), ૪, ૧૨ વિગેરે મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી અરવિંદભાઈ ગોરધનભાઈ પરમાર (રહે. ગામ સરવડીપાડા, તા.જી. જાંબુઆ, મધ્યપ્રદેશ) ને ઝંમર ગામના પાટિયા પાસેથી હસ્તગત કરવામાં આવ્યા હતા.
આરોપીની કાયદેસરની કાર્યવાહી કરી, મજકૂર આરોપીનો કબજો લખતર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં PI - શ્રી જે.જે.જાડેજા, PSI - શ્રી જે.વાય. પઠાણ, HC - અજયસિંહ વિજયસિંહ, PC - શક્તિસિંહ જોરૂભા, PC - મહુલભાઈ બુધાભાઇPC - વિજયસિંહ બોરાણા, PC - યુવરાજસિંહ વાઘેલા સહિતના પોલીસ અધિકારી/કર્મચારીઓ રોકાયેલ હતા: