એક ઐતિહાસિક પળના સાક્ષી બનતા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ ટ્રેનને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દાહોદથી વિવિધ રેલવે પરિયોજનાઓ સાથે વર્ચ્યુઅલ ફ્લેગ-ઓફ દ્વારા જનસેવામાં સમર્પિત કરી હતી.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતેથી અમદાવાદ-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ઉપરાંત વલસાડ-દાહોદ એક્સપ્રેસ ટ્રેનને પણ વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપી હતી. આ પરિયોજનાઓ ભારતના રેલવે નેટવર્કમાં સુધારા અને આધુનિકીકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણા, સાંસદ ચંદુભાઇ સિહોર, જીજ્ઞાનબેન પંડયા સહીત કર્મચારી મહાનુભાવો અને સ્થાનિક નાગરિકોએ વંદે ભારત એક્સપ્રેસના આગમનને વધાવ્યું હતું. આ નવી ટ્રેન સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ શહેરોને અમદાવાદ સાથે જોડશે, જેનાથી મુસાફરોને ઝડપી, આધુનિક અને આરામદાયક મુસાફરીનો અનુભવ મળશે. આ ટ્રેન પ્રદેશના આર્થિક વિકાસ અને પર્યટનને પણ વેગ આપશે તેવી અપેક્ષા છે. આ પ્રસંગે ઉપસ્થિતોએ સરકારના આ વિકાસલક્ષી પગલાંને બિરદાવ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.