વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રકૃતિ અને પર્યાવરણ માટે હાનિકારક પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા માટે એક વિશેષ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે પ્લાસ્ટિક વેસ્ટનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સાફસફાઈ પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે પ્રેરક સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ નિમિત્તે આગામી તા. ૫ જૂન સુધી "Ending Plastic Pollution Globally" (વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત) થીમ પર જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને પ્લાસ્ટિકના નુકસાનકારક અસરો વિશે જાગૃત કરવાનો અને તેના ઉપયોગને ઘટાડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેથી સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ જાળવી શકાય