લીંબડી રેલવે સ્ટેશનના પુનઃવિકાસિત લોકાર્પણ પૂર્વે કલેક્ટર, પોલીસ મહાનિરીક્ષક સહિતના અધિકારીઓ-આગેવાનો દ્વારા સ્થળ નિરીક્ષણ

0
સુરેન્દ્રનગર જિલ્લા માટે ગર્વની ક્ષણ નજીક આવી રહી છે. અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત પુનઃવિકસિત લીંબડી રેલવે સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ થવા જઈ રહ્યું છે. 
આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેશે જ્યારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ કરશે. વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજાનાર આ લોકાર્પણ કાર્યક્રમ પૂર્વે, કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા અને 
સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સુરેન્દ્રનગર કલેક્ટર પટેલ,  જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા (IPS) સહિત જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અન્ય આગેવાનો-અધિકારીઓએ ઉપસ્થિત રહી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન કાર્યક્રમના સુચારુ સંચાલન માટે જરૂરી તમામ પાસાંઓની સમીક્ષા કરવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top