અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીશ્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ

0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીશ્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ બુધવારે (૨૨ મે, ૨૦૨૫) ના રોજ કરવામાં આવનાર છે.
અમૃત સ્ટેશન યોજના અન્વયે સિહોર જંકશન, ઉત્રાણ, ડાકોર, ડેરોલ, હાપા, જામજોધપુર, જામવંથલી, કાનાલુસ જંકશન, કરમસદ, કોસંબા જંકશન, લીંબડી, મહુવા, મીઠાપુર, મોરબી, ઓખા, પાલીતાણા, રાજુલા જંકશન, સમખયાળી સ્ટેશન સહિત કુલ ૧૮ સ્ટેશનોને અંદાજે રૂ.૧૬૪ કરોડના ખર્ચે પુનર્વિકસિત કરવામાં આવ્યા છે.
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ, રૂ. ૧૦.૫૫ કરોડના ખર્ચે પુનર્વિકસિત લીંબડી સ્ટેશન...
✅ લીંબડી સ્ટેશન પર પૂર્ણ થયેલા કામો.
  • પ્લેટફોર્મ નં. ૧ નું વિસ્તરણ અને ઊંચાઈમાં વધારો. 
  • ટોઇલેટ બ્લોક્સની સ્થાપના
  • દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ સુવિધાઓ
  • GRP ભવનનું નિર્માણ 
  • સર્ક્યુલેટિંગ એરિયાનો સુધારો
  • સુવ્યવસ્થિત પાર્કિંગ ક્ષેત્રનો વિકાસ
  • પ્રવેશ અને નિકાસ દ્વારનો પુનર્વિકાસ
  • કોચ ગાઇડન્સ ડિસ્પ્લે બોર્ડ (CGDB) ની સ્થાપના
  • મુસાફરોમાટે જાહેરાત પ્રણાલીને મજબૂત બનાવવી
  • સ્ટેશનના રવેશનું સૌંદર્યીકરણ
  • રવેશ લાઇટિંગની વ્યવસ્થા
  • સૂચનાત્મક સાઇનબોર્ડની સ્થાપના
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top