સુરેન્દ્રનગર મનપા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે તંત્ર દ્વારા એક જાગૃતિ અભિયાનમાં નાગરિકો પ્લાસ્ટિકનો બહિષ્કાર અંગે સમજણ આપવામાં આવી હતી. જેમાં નાના વેપારીઓ, શાક માર્કેટમાં શાકભાજી વેચતા લારીધારકોને પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગમાં ન લેવા માટે ભાર પૂર્વક સમજણ આપવામાં આવી હતી.
ત્યારે આગામી 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ હોઈ, પર્યાવરણના જતન માટે તેમજ પ્લાસ્ટિકના લીધે થતી આડઅસર અટકાવવા માટેની જાગૃતિ ફેલાય તે માટે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશનર ગવહાણે તેમજ તેમની ટીમ દ્વારા શહેરીજનો તથા વેપારીઓને પ્લાસ્ટિક ખુલ્લામાં તથા લેન્ડફીલ સાઇટ પર જતું અટકાવવા માટે શપથ લેવડાવવામાં આવી હતી.