સુરેન્દ્રનગરમાં "નમો કમલમ્" ખાતે અહિલ્યાબાઈ હોલ્કરની ૩૦૦મી જયંતી નિમિત્તે મહિલા ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

0
સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય "નમો કમલમ્" ખાતે તા .૨૪ મે-૨૦૨૫ને શનિવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રભારી હિંમતભાઈ પડસાળાની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલ્કરની ૩૦૦મી જયંતી નિમિત્તે "મહિલા ગોષ્ઠી" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નારીશક્તિએ ઉપસ્થિત રહીને સંબોધન સાધ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, ધાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી રમીલાબેન મકવાણા તેમજ મહામંત્રીઓ સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલ્કરના જીવન, કાર્ય અને તેમના આદર્શોને યાદ કરીને નારીશક્તિને પ્રેરણા આપવાનો હતો. મહિલાઓએ સામાજિક અને રાજકીય ક્ષેત્રે વધુ સક્રિય બનીને સમાજ નિર્માણમાં યોગદાન આપે તે માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top