સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા ગુનેગારોને ઝડપી પાડવાની પોલીસની ઝુંબેશ અંતર્ગત, પેરોલ ફર્લો સ્કવોડે જોરાવરનગર પોલીસ સ્ટેશનના લૂંટ, ધાડ અને મારામારીના ગુનામાં સંડોવાયેલા ત્રણ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના પગલે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડયા (IPS) એ સુરેન્દ્રનગર જિલ્લામાં આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી જે.જે. જાડેજાને ભારપૂર્વક જણાવી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સૂચનાના અનુસંધાને, પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ ઇન્સ. શ્રી જે.વાય. પઠાણ અને તેમની ટીમે એક એક્શન પ્લાન બનાવી, સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સોર્સીસનો ઉપયોગ કરીને વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
તાજેતરમાં, 22 મે, 2025 ના રોજ, પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ટેકનિકલ અને હ્યુમન સોર્સીસ દ્વારા સચોટ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, જોરાવરનગર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 059/2025, બી.એન.એસ. કલમ 310(2), 311, 115(2), 324(4), 125(એ), 352, 351(3), 61(2) મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ શાહરૂખ ઉર્ફે રાજાબાબુ રસુલભાઈ ઉર્ફે રાયસંગભાઈ માલાણી, રમજાન રસુલભાઈ ઉર્ફે રાયસંગભાઈ માલાણી, અને શાહરુખ સલીમભાઈ મોવર (તમામ રહે-ધ્રાંગધ્રા, જુની મોચીવાડ) ને સુરેન્દ્રનગરના રતનપર ગાંડાવાડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. જે.જે. જાડેજા, પી.એસ.આઈ. જે.વાય. પઠાણ, એ.એસ.આઈ. રવિભાઈ રાણાભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ ભુપતભાઈ, દશરથભાઈ ઘનશ્યામભાઈ, અને દેવરાજભાઈ મગનભાઈ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના પગલે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડયા (IPS) એ સુરેન્દ્રનગર જિલ્લામાં આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી જે.જે. જાડેજાને ભારપૂર્વક જણાવી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સૂચનાના અનુસંધાને, પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ ઇન્સ. શ્રી જે.વાય. પઠાણ અને તેમની ટીમે એક એક્શન પ્લાન બનાવી, સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સોર્સીસનો ઉપયોગ કરીને વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
તાજેતરમાં, 22 મે, 2025 ના રોજ, પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ટેકનિકલ અને હ્યુમન સોર્સીસ દ્વારા સચોટ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, જોરાવરનગર પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 059/2025, બી.એન.એસ. કલમ 310(2), 311, 115(2), 324(4), 125(એ), 352, 351(3), 61(2) મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ શાહરૂખ ઉર્ફે રાજાબાબુ રસુલભાઈ ઉર્ફે રાયસંગભાઈ માલાણી, રમજાન રસુલભાઈ ઉર્ફે રાયસંગભાઈ માલાણી, અને શાહરુખ સલીમભાઈ મોવર (તમામ રહે-ધ્રાંગધ્રા, જુની મોચીવાડ) ને સુરેન્દ્રનગરના રતનપર ગાંડાવાડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. જે.જે. જાડેજા, પી.એસ.આઈ. જે.વાય. પઠાણ, એ.એસ.આઈ. રવિભાઈ રાણાભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ ભુપતભાઈ, દશરથભાઈ ઘનશ્યામભાઈ, અને દેવરાજભાઈ મગનભાઈ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.