ચોટીલા અને થાનગઢની ટીમનો સપાટો: ખાખરાવાળીમાં ગેરકાયદેસર કાર્બોસેલ ખનન ઝડપાયું, રૂ. ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત

0
સુરેન્દ્રનગર, ચોટીલાના નાયબ કલેકટર એચ. ટી. મકવાણા અને થાનગઢના મામલતદારની સંયુક્ત ટીમે તા. ૧૫/૦૫/૨૦૨૫ ના રોજ મોડી રાત્રે કાર્યવાહી કરતા થાનગઢ તાલુકાના ખાખરાવાળી ગામ નજીક ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડ્યું હતું.
અધિકારીઓની ટીમને બાતમી મળતા તેઓએ ખાખરાવાળી ગામની પ્રાથમિક શાળાથી આશરે ૦.૫ કિલોમીટર દૂર આવેલી એક જમીન પર દરોડો પાડ્યો હતો. અહીં કેટલાક અસામાજિક તત્વો ત્રણ કુવાઓમાંથી એક કુવા પર ગેરકાયદેસર રીતે કાર્બોસેલનું ખનન કરી રહ્યા હતા. ટીમને જોતા જ તમામ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
સ્થળ પરથી ચોટીલા નાયબ કલેકટર અને મામલતદારની ટીમે એક ડમ્પર, ૩૫ ટન કાર્બોસેલનો જથ્થો, એક ટ્રેક્ટર, એક કમ્પ્રેસર, ૧૦૦ નંગ ડીટોનેટર, ૧૦૦ મીટર પાઇપ, એક ચરખી, બે બકેટ અને ૬૦ મીટર સેફ્ટી ફ્યુસ સહિત કુલ અંદાજે રૂ. ૫૦,૦૦,૦૦૦ (અંકે રૂપિયા પચાસ લાખ)નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર મુદ્દામાલને મામલતદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ બાબતે આગળની નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top