ભારતીય સેનાએ અદ્દભૂત શૌર્ય સાથે 'ઓપરેશન સિંદૂર' હાથ ધરી પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓના અડ્ડાઓ પર મિસાઈલ વરસાવી સેંકડો આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે. 'ઓપરેશન સિંદૂર' ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. ભારતીય સેનાએ પહલગામમાં આંતકવાદી હુમલાનો બદલો લીધો છે. વિશ્વ આખું ભારતના સૈન્ય અને એર ફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થઈ ગયા છે.
‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આપણા જવાનોએ મા ભારતીનો તથા આપણા તિરંગાનો વિશ્વમાં ડંકો વગાડ્યો છે. રાષ્ટ્રની રક્ષા માટે હંમેશ તત્પર આપણા વીર જવાનોના સન્માનમાં સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્ય દંડક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, વર્ષાબેન દોશી, હાર્દિકભાઈ ટમાલીયા, મહેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ભારતીય વીરોના શૌર્ય અને સાહસને નમન કરીને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી.