સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ બાદ હવે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓપરેશન 'સિંદુર'ને સમર્પિત એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રોટરી ક્લબ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA), અગ્રણી હોસ્પિટલ્સ, શૈક્ષણિક સંગઠનો, વિવિધ સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ દરેક જ્ઞાતિની સંસ્થાઓ
નોંધનીય છે કે આ પહેલાં પ્રશાસન દ્વારા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૧૫૦૦ જેટલા કર્મચારીઓને તેમના હેડ ક્વાટર્સ ન છોડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લાની જેલમાં દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની પણ ખાતરી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે જિલ્લાનું આરોગ્ય તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.