સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ જીલ્લામા પોલીસમાં દસ અધિકારીઓની બદલી

0
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરિશ પંડ્યાએ જિલ્લા પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કર્યો છે. સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં ૧૦ પોલીસ અધિકારીની બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ જિલ્લામાં ૧૦ પોલીસ અધિકારીઓમાં પાણશીણા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.કે.ગોસ્વામીની બદલી ઝીંઝુવાડા પોલીસ મથક, બજાણા પોલીસ મથકના એમ.બી.બામ્બાની સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથક, દસાડા પોલીસ સ્ટેશનના વાય.જી.ઉપાધ્યાયની ધ્રાંગધ્રા પોલીસ મથકે બદલી કરાઇ.
જ્યારે પીએસઆઇમાં વઢવાણ પોલીસ મથકના વી.આઇ.ખડીયાની બદલી પાણશીણા પોલીસ મથક, પાણશીણા પોલીસ મથકના પી.બી.જાડેજાની વઢવાણ પોલીસ મથક, જોરાવરનગર પોલીસ મથકના ડી.ડી. ચુડાસમાની બદલી સાયલા પોલીસ મથક, સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝનના ઝેડ.એલ. ઓડેદરાની દસાડા પોલીસ મથક, એલસીબીના જે.વાય. પઠાણની બજાણા પોલીસ મથક, ચોટીલાના ડી.એ. સાંખટની સુદામડા સાયલા પોલીસ મથકે, સાયલા સુદામડા પોલીસ મથકના એચ.એન. ઝાલાની સાયલ પોલીસ મથક બદલી કરાઇ છે. ત્યારે પોલીસ વડા ગિરીશ પંડયાએ જિલ્લા પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કર્યો છે. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top