સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ૮૦ ફૂટ રોડ, મારુતિ પાર્ક ખાતે શરૂ કરવામાં આવેલી શાકમાર્કેટની ગેરવ્યવસ્થા અને સ્થાનિકોના વિરોધ વિશે છે.! ત્યારે સ્થાનિકોના ઉગ્ર વિરોધ છતાં અને કોઈ પણ આયોજન કે વ્યવસ્થા વગર આ શાકમાર્કેટ શરૂ કરવામાં આવી હતી. ગત રાત્રે વરસાદ અને વાવાઝોડાના કારણે આ મેદાન પાણીથી ભરાઈ ગયું છે, જેના કારણે સ્થિતિ તળાવ જેવી થઈ ગઈ છે.
જ્યારે મારુતિ પાર્કના સ્થાનિક અનુસૂચિત જાતિના લોકોની માંગણી હતી કે આ મેદાન જાહેર કાર્યક્રમો માટે આરક્ષિત કરવામાં આવે! પરંતુ મહાનગરપાલિકાએ તેમની માંગણીને ધ્યાનમાં લીધી ન હતી. આ રહેણાંક વિસ્તારમાં અને ચાર રસ્તાની બાજુમાં નિયમોને અવગણીને આ શાકમાર્કેટ બનાવવામાં આવી છે.! આગામી ચોમાસામાં આ મેદાન ચાર મહિના સુધી પાણીથી ભરાયેલું રહેવાની સંભાવના છે. ત્યારે અમૃત મકવાણા નામના જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલી માહિતીને આધારે આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે તેમજ પ્રસ્તુત તસવીરમાં મેદાનમાં પાણી ભરાયેલું નજરે પડે છે