નવી દિલ્હી કોવિડ ૧૯ કેસોના સંદર્ભમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા ૨૪મે ૨૦૨૫ના રોજ આરોગ્ય સંશોધન વિભાગ (DHR)ના સચિવ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR), DGHS, રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC) વગેરે સાથે સમીક્ષા કરવામાં આવી હતી.
કેટલાક કોવિડ-૧૯ કેસ મુખ્યત્વે કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે રાજ્યોમાંથી નોંધાયા છે. એ નોંધનીય છે કે ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) અને ICMRના પેન ઇન્ડિયા રેસ્પિરેટરી વાયરસ સેન્ટિનલ સર્વેલન્સ નેટવર્ક દ્વારા કોવિડ-૧૯ સહિત શ્વસન રોગોના સર્વેલન્સ માટે એક મજબૂત પેન ઇન્ડિયા સિસ્ટમ છે. એવું જોવા મળ્યું છે કે આમાંના મોટાભાગના કેસો હળવા અને ઘરે સંભાળ હેઠળ છે.એ પણ ઉલ્લેખ કરી શકાય છે કે તાજેતરના ભૂતકાળમાં સિંગાપોર, હોંગકોંગ અને અન્ય દેશોમાં કોવિડ ૧૯ કેસોમાં વધારો થવા અંગે કેટલાક મીડિયા અહેવાલો આવ્યા છે. સંબંધિત રાષ્ટ્રીય IHR ફોકલ પોઈન્ટ્સ દ્વારા ખાતરી કરવામાં આવી છે કે એવા કોઈ સંકેત નથી કે અગાઉ ફરતા પ્રકારોની તુલનામાં વધુ સંક્રમિત છે અથવા વધુ ગંભીર રોગનું કારણ બને છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સતર્ક છે અને તેની અનેક એજન્સીઓ દ્વારા, પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.