સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલના અધ્યક્ષસ્થાને પીસી-પી.એન.ડી.ટીની એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં નવી નિમણૂક, નવી આવેલી અરજીઓ, અલ્ટ્રાસાઉન્ડ મશીનના કરેલા સીલ બાબત, રીન્યુઅલ ઓફ રજીસ્ટ્રેશન માટે આપેલી મંજૂરી, અલ્ટ્રાસાઉન્ડ મશીન (જુના)ના કરેલા બાયબેક, અલ્ટ્રાસાઉન્ડ મશીન (જુના)ના થયેલા વેચાણ માટે ઇન્ટિમેશન બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત પી.એન.ડી.ટી એક્ટના અમલીકરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, પીસી-પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત, સ્ત્રી ભૃણ ગર્ભ પરિક્ષણ અને તે સાથે આવા બિનઅધિકૃત કૃત્યો પણ પ્રતિબંધિત છે, જે અન્વયે કડક કાર્યવાહી કરવા સહિતની જોગવાઇ છે. સમાજમાં દીકરીઓની સંખ્યા વધે તે માટે જનજાગૃત્તિના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવા અને દરેક રજિસ્ટર્ડ ક્લિનિકનું વેરિફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે.
પીસી-પી.એન.ડી.ટીની એડવાઈઝરી કમિટીની આ બેઠકમાં ગાયનેકોલજિસ્ટ અલ્પેશ ગોહિલ, આર.એલ. બદલાણી, સરકારી વકીલ પી.જી.રાવલ, પીસી-પી.એન.ડી.ટી પ્રોગ્રામ ઓફિસર શ્રી ગૌરાંગ જોશી ઉપસ્થિત રહ્યાં હતા.