'વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫, સુરેન્દ્રનગર કચેરી તથા ધાર્મિક સ્થળોએ સાફ -સફાઈ તેમજ પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરાયો

0
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃત્તિ કેળવવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ જનજાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કચેરી કેમ્પસમાં સાફ-સફાઈ તેમજ પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ પર્યાવરણ દિવસની પખવાડિક ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતો દ્વારા વિશ્વ કક્ષાએ પ્લાસ્ટિક પ્રદુષણનો અંત લાવવા માટે “Ending Plastic Pollution Gobally” વિષય ઉપર પ્લાસ્ટિક નાબૂદી ઝુંબેશ તા.૦૫ જૂન સુધી જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. તેમજ પ્લાસ્ટિકના ઉપયોગને ટાળવા અંગે લોકજાગૃત્તિ કાર્યક્રમો કરવામાં આવશે.

ઘુડખર અભયારણ્ય બજાણા અને ધ્રાંગધ્રા સ્થિત રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી દ્વારા સઘન સાફ સફાઈ, વૃક્ષારોપણ કરાયું

આગામી “વિશ્વ પર્યાવરણ દિવસ”૨૦૨૫ ની ઉજવણી “એન્ડીંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી” થીમ અન્વયે કરવામાં આવનાર છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખર અભયારણ્ય બજાણા અને ધ્રાંગધ્રા સ્થિત રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કચેરી આસપાસ સઘન સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. તેમજ રોપાઓનું વિતરણ કરી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

નકટીવાવ મેલડી માતાજી મંદિર ખાતે સાફસફાઈ કરી અંદાજીત ૮૦૦ કે.જી.પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરાયો
સુરસાગર ડેરી, સુરેન્દ્રનગર અને જી.પી.સી.બી. પ્રાદેશિક કચેરી, સુરેન્દ્રનગર દ્વારા એન્ડિંગ પ્લાસ્ટીક પોલ્યુશન ગ્લોબલી થીમ પર 'વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫'ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ અનુસંધાને નકટીવાવ મેલડી માતાજી મંદિર ખાતે સાફસફાઈ કરી અંદાજીત ૮૦૦ કે.જી.પ્લાસ્ટીક વેસ્ટ એકત્ર કરવામાં આવ્યો હતો. જેને નગરપાલિકાની મ્યુનિસિપલ સોલીડ વેસ્ટની ફેસીલીટી પર મોકલી આપવામાં આવ્યો હતો.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top