સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓપરેશન 'સિંદુર' ને અર્પણ આવતીકાલે તા.૧૧ મે, રવિવારના રોજ સવારે ૦૮:૩૦ થી ૦૧:૦૦ વાગ્યા સુધી લુવાણા સમાજની વાડી, બાલા હનુમાન મંદિર સામે, સુરેન્દ્રનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો,પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી રોટરી ક્લબ, IMA, અગ્રણી હોસ્પિટલ્સ, શૈક્ષણિક સંગઠનો, સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓ, દરેક જ્ઞાતીની સંસ્થાઓ, વિવિધ વ્યાપારિક એસોસિએશનોને આ અભિયાનમાં જોડાવા જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.