સુરેન્દ્રનગરના શહેરીજનો માટે એક સારા સમાચાર છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મેઘાણીબાગ ખાતે નવનિર્મિત સ્નાનાગાર આગામી તા.૧૨/૦૫/૨૦૨૫, સોમવારથી ખુલ્લો મુકવામાં આવશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્નાનાગાર શહેરના લોકોને તરવાની અને શારીરિક કસરત કરવાની તક પૂરી પાડશે.
મહાનગરપાલિકા દ્વારા સ્નાનાગારના ઉપયોગ માટે નજીવા દરે પ્રવેશ ફી નક્કી કરવામાં આવી છે. માસિક ધોરણે સ્વિમિંગ કરવા માટે રૂા. ૩૦૦ ફી રહેશે, જ્યારે અર્ધવાર્ષિક દર રૂા. ૧૦૦૦ અને વાર્ષિક દર રૂા. ૧,૫૦૦ નિર્ધારિત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે એક શિફ્ટનો સમયગાળો ૪૫ મિનિટનો રહેશે.
સ્નાનાગારમાં રજીસ્ટ્રેશન માટેના ફોર્મનું વિતરણ તારીખ ૧૨/૦૫/૨૦૨૫, સોમવારથી કચેરી સમય દરમિયાન શરૂ થશે. રસ ધરાવતા નગરજનો સ્વિમિંગ પુલ મેનેજર શ્રી જયભાઈ દસાડીયાનો તેમના મોબાઈલ નંબર ૯૯૦૯૯ ૩૧૨૧૪ પર સંપર્ક કરી અથવા મેઘાણીબાગ ખાતેના સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સ્નાનાગારની કચેરીએથી ફોર્મ મેળવી શકશે. મહાનગરપાલિકાના આ પ્રયાસથી શહેરીજનોને સ્વસ્થ અને સક્રિય જીવનશૈલી અપનાવવામાં મદદ મળશે.