સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત મારુતિ પાર્ક નજીક આવેલા શાક માર્કેટમાં શાકભાજી વેચતા કેટલાક વેપારીઓ તેમજ સ્થાનિક રહીશોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. રહીશો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે કેટલાક વેપારીઓ નશો કરીને શાકભાજી વેચતા હોવાની કનડગત સાથે બી ડી અને રજૂઆત કરશે તોડી આવ્યા હતા. આ અંગે સ્થાનિક રહેશે ના જણાવ્યા મુજબ આ શાક માર્કેટનું કોઈ ટાઈમ ટેબલ નથી તેમજ લુખ્ખા આવારા તત્વો શાકભાજી વેચવાના નશાની હાલતમાં દાદાગીરી કરતા હોય અને રહીશો ને હેરાન પરેશાન કરતા હોવાની સામે આવ્યું છે. અત્યારે નાની એવી ચોપડીમાં શાકભાજી ફાળવવામાં આવતા ભારે ટ્રાફિકની સમસ્યા પણ સજાતી હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ શાકમાર્કેટ શહેરમના મોટા મેદાનમાં ફાળવવામાં આવે આવે તેવી લોકમાં ગોઠવા પામી હતી.
આ ઉપરાંત, આવા વેપારીઓ પાસે કોઈ ઓળખપત્ર (આઈડેન્ટિફિકેશન) કે લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શાકભાજીના વેપારીઓ માટે ચોક્કસ જગ્યા ફાળવવામાં આવી હોવા છતાં, ઘણા વેપારીઓ મારુતિ પાર્કના મુખ્ય રસ્તા પર મોડી રાત સુધી લારીઓ ઊભી રાખે છે. આના કારણે સોસાયટીમાં આવવા-જવામાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતે સોસાયટીના સભ્ય બંટીભાઈ દ્વારા અવાર-નવાર ટ્રાફિકને બાબતે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી, જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.