ચોટીલા તળપદા કોળી સમાજની ધર્મશાળા ખાતે સમગ્ર ઠાકોર કોળી એકતા સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતના કોળી અને ઠાકોર સમાજના સંગઠનોના હોદ્દેદારોની એક બેઠક તા.૨૫ મે-૨૦૨૫ ના રોજ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુના અધ્યક્ષ સ્થાને મળી હતી.
આ બેઠકમાં કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા, સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશનના કન્વીનર અજમલજી ઠાકોર, રમેશભાઈ મેર, અજીતભાઈ ખોરાણી, મયુરભાઈ, ભરતભાઈ આલાણી, જ્યોતિબેન, મધુબેન, કોળી યુવા સંગઠનના પ્રમુખ ચિરાગભાઈ ઝાલા, અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન રાજકોટ જિલ્લાના પ્રમુખ અરવિંદભાઈ રાજપરા, તથા ઠાકોર સમાજના આગેવાન જયેશભાઈ ઠાકોર, હેમુભાઈ બારૈયા, રામદેવભાઈ વગેરે સહિત અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકની જાણવા મળતી વિગત મુજબ ઉપસ્થિત તમામ આગેવાનો દ્વારા આવનારા સમય માટે સમાજના વિકાસ અને એકતા માટેની રણનીતિ નક્કી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોજાયેલ મિટિંગમાં જાતિ જન ગણનામાં સમગ્ર કોળી તેમાં તળપદા કોળી, ધુમાડિયા કોળી ઠાકોર ગેડીયા કોળી બારૈયા કોળી વગેરે જે કોળી સમાજમાં આવતા હોય તે દરેક જાતિ જણ ગણનામાં પાછળ કોળી લખાવે, જેની જેટલી વસ્તી કેટલી તેની ભાગીધારી તેમાં રાજકીય આર્થિક વ્યવસાયિક વગેરે ક્ષેત્રમાં સમાન અધિકાર મળે, અનામતમાં વધારો કરી ઓબીસી 65% ટકા કરી અને તેમાં કોળી સમાજને અલગથી વસ્તી પ્રમાણે અનામત આપવામાં આવે, રાજકીય ક્ષેત્રે પણ સમાજની જાગૃતતા આવે વધારેમાં વધારે સરકારમાં ભાગીદારી મળે, ઠાકોર કોળી વિકાસ નિગમમાં જે ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે ઓછામાં ઓછી 2000 કરોડ ફાળવણી કરવામાં આવે, સમાજમાં શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવે, માંધાતા ધામ તથા કોમ્પિટેટ એક્ઝામ માટે ગાંધીનગર ખાતે કોળી સમાજ એકેડેમી માટે જમીન ફાળવવામાં માટેના મહત્વના વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી તેમ સમસ્ત ઠાકોર કોળી એકતા સમિતિના મુખ્ય કન્વીનર રમેશભાઈ મેર દ્વારા એક અખબારી યાદીમાં માહિતી આપવામાં આવી હતી. ત્યારે આ બેઠક ભવિષ્યમાં કોળી અને ઠાકોર સમાજ માટે એક નવી દિશા ખોલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.