વઢવાણ ગણપતિ ફાટક: વારંવારના અકસ્માતો અને ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ, ઓવરબ્રિજની માંગણી!

0
વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે. ફાટક પાસે વારંવાર નાના-મોટા વાહન અકસ્માતો સર્જાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. રવિવારની રાત્રે ફાટક પાસે નાખેલી ગડર સાથે વાહન અથડાતાં લાંબા સમય સુધી ટ્રાફિક જામ થયો હતો, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગણપતિ ફાટસર વિસ્તારના રહેવાસી રાઠોડ સુનિલભાઈ વિશાલભાઈ પરમારે આ અંગે જણાવ્યું હતું કે
કલેકટર, સ્થાનિક અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા આ સમસ્યા પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી!. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વારંવાર થતા ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાની માંગણી કરી રહ્યા છે, જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય. સ્થાનિક લોકો હવે આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી રહ્યા છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top