વઢવાણ એસટી ડેપો ખાતે નિવૃત્ત કર્મચારીઓને ભાવભીની વિદાય:એટીઆઈ, ટીસી અને કંડક્ટર તરીકે સેવા આપનાર કર્મચારીઓને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી

0
વઢવાણ બસ સ્ટેન્ડ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)માં ફરજ બજાવીને વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ વઢવાણ કર્મચારી મંડળ ગ્રુપ દ્વારા યોજાયો હતો, જેમાં એટીઆઈ, ટીસી અને કંડક્ટર તરીકે સેવા આપનાર કર્મચારીઓને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
આ વિદાય સમારંભમાં એટીઆઈ તરીકે રાજકોટ વિભાગમાં ફરજ બજાવતા દિલીપભાઈ રામાનુજ, સુરેન્દ્રનગર ડેપોના ટીસી દેવરાજભાઈ દસાડીયા તેમજ કંડક્ટર તરીકે ફરજ બજાવતા વિનુભા વાધેલા નિવૃત્ત થયા હતા. તેમના સેવા કાર્યને બિરદાવવા માટે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં રાજકોટ કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સુરેન્દ્રનગર ડેપો કર્મચારી મંડળના પ્રમુખ રાજભા પરમાર (મુળી), અનિરુદ્ધસિંહ પરમાર (પ્રમુખ, ક્રેડિટ સોસાયટી), સુરેન્દ્રનગર એસટી ડેપો મેનેજર ચૌધરી, જે.એ. ચેતનભાઈ દવે, પૂર્વ પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલા, એટીઆઈ સંદીપસિંહ રાણા, અજયસિંહ જાડેજા અને કર્મચારી મંડળના અગ્રણી પરસોતમભાઈ વાધ, રાજુભાઈ દવે સહિત અનેક આગેવાનો અને હોદ્દેદારોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વઢવાણના કર્મચારીઓ ગંભીરસિંહ, વનરાજસિંહ, મનીષભાઈ, હર્ષદભાઈ વાણીયા અને વઢવાણ તાલુકા એસટી કર્મચારી ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. નિવૃત્ત કર્મચારીઓને તેમના લાંબા અને નિષ્ઠાવાન સેવા કાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમના ભાવિ જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top