સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા હતા. જો કે, ગઈકાલે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. દિવસ દરમિયાન આકાશ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું, જેના કારણે ગરમીમાં થોડી રાહત અનુભવાઈ હતી.
સવારથી જ સૂર્યના કિરણો તીવ્ર હતા અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. સવારના સમયે અચાનક વાતાવરણ બદલાયું અને વાદળોથી છવાઈ ગયું. જો કે, જિલ્લામાં ક્યાંય નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી, પરંતુ વાદળછાયા વાતાવરણના કારણે ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું. જો કે, ભારે વરસાદની શક્યતા ઓછી છે.