સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તાજેતરમાં જવાહર નવોદય વિધાલય, ધ્રાંગધ્રા ખાતે NEETની પરીક્ષા આપવા આવેલી બે વિદ્યાર્થીનીઓ પોતાનું ઓળખકાર્ડ ભૂલી ગઈ હતી. ત્યારે પરીક્ષા શરૂ થવામાં ઓછો સમય બાકી હોવાથી વિદ્યાર્થીનીઓ ચિંતામાં મુકાઈ ગઈ હતી. આ બાબતની જાણ થતાં જ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ તાત્કાલિક મદદે આવી પહોંચી હતી.પોલીસકર્મીઓએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી અને ઘટનાસ્થળે જ ઓનલાઇન માધ્યમથી બંને વિદ્યાર્થીનીઓનું આધારકાર્ડ ડાઉનલોડ કરાવ્યું. જેના કારણે વિદ્યાર્થીનીઓને સમયસર પરીક્ષામાં પ્રવેશ મળી શક્યો અને તેમનું ભવિષ્ય બગડતા બચી ગયું. વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓએ ધ્રાંગધ્રા પોલીસની આ મદદની ભાવનાને ખૂબ જ બિરદાવી હતી. પોલીસની આ કામગીરીએ સમાજમાં માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.