સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન વાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ નવી શાખા ખુલવાથી ચુડા અને આસપાસના વિસ્તારના ખેડૂતોને બેંકિંગ સેવાઓનો લાભ મળશે. આ ઉપરાંત, ખેડૂતોને સરળતાથી લોન અને અન્ય નાણાકીય સહાય પણ મળી રહેશે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજભા ઝાલા, ભાવેશભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શજસુભા સોલંકી, જિલ્લા પંચાયતના સભ્ય તનકસિંહ રાણા, ઘનશ્યામભાઈ રોજાસરા, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન તેમજ ચુડા મંડળના પ્રમુખ અને મહામંત્રીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને બેંકના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય કિરીટસિંહજી રાણાએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે અને આ નવી બેંક શાખા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.