ચોટીલા ચામુંડા ડુંગર પર વૈશાખ પૂનમનો ભવ્ય મેળો, હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

0
સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ચામુંડા ડુંગર પર આજે વૈશાખ પૂનમના પાવન અવસરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ માતાજીના જયકાર સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં ચામુંડાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. વૈશાખ પૂનમના આ શુભ દિવસે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો માતાજીની સુંદર પાલખી અને હાથમાં ધજાઓ લઈને માંના દરબારમાં પહોંચી રહ્યા છે અને ભક્તિભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
આજે મોડી સાંજ સુધીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લેશે તેવી શક્યતા છે. મેળાના કારણે ચોટીલા ડુંગર પર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top