સુરેન્દ્રનગરના સંત સવૈયાનાથ ટાઉનશિપ ખાતે પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા અને પ્રદેશ ભાજપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલના કન્વીનર નરેશભાઈ કેલા પરિવાર દ્વારા રામદેવપીર મહારાજના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજજીવનમાં વર્ષોથી સામાજિક સમરસતા માટે કાર્યરત આ પરિવાર દ્વારા આયોજિત આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, રાજકીય આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં સંત સવૈયાનાથની જગ્યા ઝાંઝરકાના પરમ પૂજ્ય મહંતશ્રી શંભુનાથજી ટુંડીયા (માન. ધારાસભ્યશ્રી ગઢડા), વઢવાણ વિસ્તારના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહજી ચૌહાણ, દસાડાના ધારાસભ્ય પી. કે. પરમાર જેવા અગ્રણીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત મોલડીથી પૂ. સીતારામ બાપુ, ઝીંઝુવાડાથી પૂ. દયારામ બાપુ અને ખેરાળીથી પૂ. ધનદા બાપુ જેવા સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ ડો. નિલેશભાઈ ત્રિવેદી અને વિભાગ કાર્યવાહ શ્રી મનસુખભાઈ સભાણી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાજભા ઝાલા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી એન. કે. રાઠોડ અને વોર્ડ નં 6ના પૂર્વ સભ્યશ્રી મનહરસિંહ ઝાલા અને શ્રી રાકેશભાઈ રાઠોડ સહિત ટાઉનશિપના અનેક પરિવારો અને સામાજિક આગેવાનોએ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમથી ટાઉનશિપમાં ધાર્મિક અને સામાજિક ભાવના વધુ પ્રબળ બનશે તેવો આશાવાદ ઉપસ્થિત લોકોએ વ્યક્ત કર્યો હતો. ધનરાજભાઈ કેલા અને નરેશભાઈ કેલા પરિવારે તમામ ઉપસ્થિતોનો આભાર માન્યો હતો.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.