ચોટીલામાં ગેરકાયદે ખનીજ માફિયાઓ પર તવાઈ: નાયબ કલેક્ટરે 2.79 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો

0
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ માફિયાઓ પર ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે સપાટો બોલાવ્યો છે. ગતરોજ વડોદ ચોકડી, ફુલગ્રામ ચોકડી નેશનલ હાઈવે, કોઠારીયા રોડ, સુરેન્દ્રનગર-વઢવાણ રોડ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગરના, ક્ષમતા કરતા વધુ ભાર વહન કરતા અને અનઅધિકૃત ખનિજનું પરિવહન કરતા કુલ ૭ ડમ્પરો અને ૧ ટ્રેક્ટરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ₹૨,૭૯,૩૨,૮૦૦ આંકવામાં આવી છે, જેને મામલતદાર કચેરી, વઢવાણ ખાતે ખસેડવામાં આવ્યો છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સ્પોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ, ૨૦૧૭ ના નિયમ ૧૩ હેઠળ કરવામાં આવી છે અને આગળની નિયમોનુસાર કાર્યવાહી હાથ ઘરેલ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top