ગુજરાતની MSME ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે સુરેન્દ્રનગર ખાતે ગુણવત્તા યાત્રા યોજાઈ

0
ગુજરાતના MSME ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રેસિડેન્ટ હોટેલ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં ગુણવત્તા યાત્રા યોજાઈ હતી. આ ગુણવત્તા યાત્રામાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ, ગુણવત્તા નિષ્ણાંતો, સરકારી અધિકારીશ્રીઓએ સાથે મળીને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી હતી. 
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લો કાપડ અને મીઠા ઉદ્યોગોના કારણે દેશભરમાં પ્રખ્યાત છે. જિલ્લાની પ્રખ્યાત પટોળા શિલ્ક સાડીઓએ પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ત્યારે MSME માલિકોને સ્થાનિક ઉત્પાદન અને સેવાની ગુણવત્તા અને રાષ્ટ્રીય વિકાસ વચ્ચે સેતુ તરીકે કામ કરવા અનુરોધ કર્યો હતો. ગુણવત્તા એ પસંદગી નથી, તે ભારતની નિયતિ છે. ગુજરાત નવા ક્ષેત્રોમાં અગ્રણી પરિબળ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે હવે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાની આપણા સૌની જવાબદારી છે. 
ગુણવત્તા યાત્રાની વાત કરતા ઉમેર્યું હતું કે, ગુણવત્તા યાત્રા MSME એકમોને 'મેક ઈન ઇન્ડિયા' માંથી 'મેડ વિથ એક્સેલન્સ ઇન ઇન્ડિયા'માં પરિવર્તિત કરી શકે છે. આ યાત્રા ગુજરાતની ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા વધારવાની સાથે ગુજરાતને વિકસિત ભારત @૨૦૪૭ માટે તૈયાર કરવાનો પ્રયાસ છે. 
આ વર્કશોપમાં બેક-ટુ-બેક ટેકનિકલ સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં MSME માટે કાર્યકારી ઉત્કૃષ્ટતાને આગળ વધારવા માટે QCI દ્વારા ઓફર કરવામાં આવતા ગુણવત્તા સાધનો અને સેવાઓ, MSME મંત્રાલય અને MSME વિભાગ, ગુજરાત સરકારના અધિકારીશ્રીઓ દ્વારા સરકારી યોજનાઓ અને તેના લાભો, MSME માટે ZED, LEAN પ્રમાણપત્રો અને NABL માન્યતા પર હાઈલાઈટ્સ આપવામાં આવી હતી. BIS, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના સંબધિત અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા શ્રમ કલ્યાણ, સામાજિક સુરક્ષા, કૌશલ્ય વિકાસ અંગેની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. આ ગુણવત્તા યાત્રા રાજ્યભરમાં લગભગ ૫૫ દિવસ સુધી ચાલુ રહેશે, જે સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીધામ, જામનગર, મોરબી, સિદ્ધપુર, અમરેલી અને આણંદ જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત ૩૧ જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે. આ યાત્રા રાજ્યભરના MSMEs માટે ZED, ISO અને LEAN જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન આપશે.
આ પહેલ ગુણવત્તાને રાષ્ટ્રવ્યાપી ચળવળ બનાવવાની અને ઉદ્યોગ અને નવીનતામાં પાવરહાઉસ બનવા તરફ ગુજરાત અને ભારતની સફરને ટેકો આપવાની QCIની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરે છે. આ ગુણવત્તા યાત્રા એ ગુણવત્તા શ્રેષ્ઠતાની સફરમાં એક નવી શરૂઆત છે
આ પ્રસંગે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી સુમિત પટેલ, ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ શ્રી વૈભવભાઈ ચોકસી, ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી  દિનેશભાઈ તુરખીયા, સુરેન્દ્રનગર ડી.આઇ.સી. જી.એમ શ્રી સતિષ પારેજિયા અને બી.આઇ.એસ., જી.પી.સી.બી., એફ.એસ.એસ.એ.આઇ., શ્રમ અને રોજગાર વિભાગના સિનિયર ઓફ ફિયાલ્સ અને ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક (DISH)શ્રી સહીત જુદાજુદા ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top