સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ડીવાયએસપી કચેરી ખાતે રેન્જ આઈજી અશોક યાદવ અને જિલ્લા પોલીસ વડા ડૉ. ગિરીશ પંડ્યાએ વિશેષ નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે સલામી આપી રેન્જ આઈજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારે આ નિરીક્ષણ દરમ્યાન ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત તેમજ સીટી પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહીત તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ, ધાંગધ્રા ડિવિઝનના તમામ પોલીસ કર્મચારીઓ આ તકે ઉપસ્થિત રહી રેન્જ આઈજી અશોક યાદવે શહેરના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી અને દફતરની તપાસણી કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ થાણા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટેકનોલોજી અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. સીટી પોલીસ સ્ટેશનના સારી કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહન ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આગામી સમયમાં પોલીસ જવાનોને વિવિધ રમતગમતમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ત્યારે આ નિરીક્ષણ દરમ્યાન ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત તેમજ સીટી પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહીત તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ, ધાંગધ્રા ડિવિઝનના તમામ પોલીસ કર્મચારીઓ આ તકે ઉપસ્થિત રહી રેન્જ આઈજી અશોક યાદવે શહેરના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી અને દફતરની તપાસણી કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ થાણા અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટેકનોલોજી અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. સીટી પોલીસ સ્ટેશનના સારી કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહન ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આગામી સમયમાં પોલીસ જવાનોને વિવિધ રમતગમતમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.