સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ કાર્યક્રમ અનુલક્ષીને મેદસ્વિતા મુક્તિ માટેના આસનોની તાલીમ અપાઈ
૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દીવસ -૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાડોદા રાજપૂત સમાજ બોર્ડીંગ, ૮૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર ખાતે યોગ શિબિર યોજાઈ હતી. આ યોગ શિબિરમાં ૫૫૦ થી પણ વધુ યોગપ્રેમી ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલજીનો વિડીયો સંદેશ યોગપ્રેમીઓએ રસપૂર્વક નિહાળ્યો હતો. ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ કાર્યક્રમ અનુલક્ષીને મેદસ્વિતા મુક્તિ માટેના આસનોની તાલીમ આપવામાં આવી હતી.આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહિલ, અગ્રણી શ્રી દેવાંગભાઈ રાવલ, ન્યાલકરણ વિદ્યાલય આચાર્ય શ્રી વિક્રમસિંહ પરમાર, પતંજલિ જિલ્લા પ્રભારી શ્રી સી.કે. પરમાર, ઝોન યોગ કોર્ડીનેટર શ્રી વિજયભાઈ શેઠ, યોગ પ્રચારક ધનાભા જડિયા, સોશિયલ મીડિયા ઝોન કોર્ડીનેટર શૈલેષભાઈ ટાંક, સુરેન્દ્રનગર જિલ્લા કોઓર્ડીનેટર મોનિકાબેન ચુડાસમા, દેવભુમી દ્વારકા જીલ્લા કોર્ડીનેટર સન્નીભાઈ પુરોહિત, યોગ કોચ, યોગ ટ્રેનરો, યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહ્વાન કરવામાં આવ્યું હતું. આ આહ્વાનના પગલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતાને યોગ પ્રાણાયામના માધ્યમથી દુર કરવા માટે વિવિધ યોગ શિબિરો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.