સુરેન્દ્રનગર જૈન સોશિયલ ગ્રુપ સિલ્વર દ્વારા જીવદયા અભિયાન હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અસહ્ય ગરમીમાં પક્ષીઓને રાહત મળે તે હેતુથી મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, જવાહર રોડ ખાતે વિવિધ સામગ્રીનું વિતરણ કરાયું હતું.
ગ્રુપ દ્વારા ૫૦૦ પાણીના કુંડા, ૩૦૦ પક્ષી ઘર અને ૭૦૦ ચણના પેકેટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યક્રમમાં સિલ્વર ગ્રુપના પ્રમુખ કુણાલભાઈ બાવીસી અને તેમની કારોબારી ટીમે કામગીરી કરી હતી.