સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ચામુંડા મંદિરે ચૈત્રી પૂનમ સાથે હનુમાન જયંતીના શુભ અવસરનો સંયોગ જોવા મળ્યો હતો. ત્યારે વહેલી સવારથી જ ચોટીલામા જય માતાજીના નાદ સાથે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.
ત્યારે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતી હોવાના કારણે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સ્થાનિક પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
જ્યારે બીજી તરફ માઈભક્તો માટે સેવાભાવી લોકોએ રસ્તાઓ પર વિવિધ સેવા કેમ્પ શરૂ કર્યા હતા. જેમાં ચા, નાસ્તો તેમજ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.