સુરેન્દ્રનગર રાજ્યના ખેડૂતોને સરકાર દ્વારા અપાતી વિવિધ સહાય અને યોજનાકીય લાભો સરળતાથી મળી રહે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘આઈ ખેડૂત પોર્ટલ’ કાર્યરત કરવામાં આવ્યું છે. કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે તાજેતરમાં જ વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું આ નવું પોર્ટલ ખુલ્લું મુકાયું છે.
નવીન આઈ ખેડૂત પોર્ટલની વેબસાઈટ અગાઉની જેમ જ www.ikhedut.gujarat.gov.in છે. સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડૂત ભાઈઓ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય, તેઓને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા તાત્કાલિક ઓનલાઈન પોર્ટલના માધ્યમથી અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
નવીન આઈ ખેડૂત પોર્ટલની વેબસાઈટ અગાઉની જેમ જ www.ikhedut.gujarat.gov.in છે. સુરેન્દ્રનગર જિલ્લાના જે ખેડૂત ભાઈઓ ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય, તેઓને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા તાત્કાલિક ઓનલાઈન પોર્ટલના માધ્યમથી અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.