બાગાયતદાર ખેડૂતો માટે ૪૭ જેટલા વિવિધ ઘટકો માટે ‘આઈ-ખેડૂત’ પોર્ટલ ખુલ્લું મુકાયું

0
બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતો તા.૩૧ મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ખેડુતો મેળવી શકે તે માટે ‘આઈ ખેડૂત’ http//ikhedut.gujarat.gov.in પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી ૪૭ જેટલા વિવિધ ઘટકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. 
બાગાયતદાર ખેડૂતો બાગાયતી યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ સૌપ્રથમ આઈ-ખેડુત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. પોર્ટલ ઉપર નોધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે.
વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૦૮, બ્લોક- સી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે રૂબરૂ અથવા ફોન નં:- ૦૨૭૫૨-૨૮૨૭૬૩ ઉપર ટેલીફોનીક સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top