જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૭ પ્રવાસીઓની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. સુરેન્દ્રનગરના જવાહર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદીઓનું પૂતળા દહન, હિન્દુ સંગઠનોએ રાજ હોટલ, જવાહર ચોક અને પતરાવાળી ચોક ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયો હતો. આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જયારે સુરેન્દ્રનગર જુમ્મા મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદી હુમલાને શખ્ત શબ્દોમાં વખોડી કાઢી નમાજ બાદ મોટી સંખ્યામાં મુસ્લિમોએ કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. જયારે સૈયદ હાજી યુસુફબાપુ અને શહેર કાજી હાજી હનીફબાપુએ આતંકવાદીઓને સખત સજા કરવા અને પાકિસ્તાન સાથેના સંબંધો તોડવા સરકારને અપીલ કરી હતી.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.