સુરેન્દ્રનગર મુખ્ય નર્મદા કેનાલમાં એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળ્યો

0
સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ અંગેની ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગના અશોકસિંહ, સંજયભાઇ,ધર્મરાજસિંહ, શક્તિસિંહ, દેવાંગભાઇ દુધરેજીયા, દિવ્યરાજસિંહ, સિધ્ધરાજસિંહ સહિતના કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. ત્યારે શોધખોળ દરમિયાન તેમને એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને બહાર કાઢવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ જોરાવરનગર વિસ્તારના રહેવાસી અને આશરે ૫૦ વર્ષથી વધુ વયના વિજયભાઇ સોલંકી તરીકે થઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top