સુરેન્દ્રનગરમાં દલિત સ્મશાન પાસે ફાયર સ્ટેશનના નિર્માણનો વિરોધ, રસ્તા બંધ થવાની ભીતિ

0
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા દલિત સમાજના સ્મશાન પાસે મોર્ડન ફાયરસ્ટેશન બનાવવાની કામગીરીનો દલિત સમુદાય દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ ફાયરસ્ટેશનના નિર્માણથી સ્મશાનમાં મૃતદેહ લઈ જવા માટેનો મુખ્ય માર્ગ બંધ થઈ જશે આથી આ વિરોધ પ્રદર્શિત કરવા માટે મોટી સંખ્યામાં દલિત સમાજના ભાઈઓ, બહેનો અને આગેવાનો સુરેન્દ્રનગરના રાજ ચોક ખાતે એકત્ર થયા હતા. વિરોધ કરી રહેલા લોકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
દેખાવકારોએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા દલિત સમાજના સ્મશાનની જગ્યા પર ફાયર સ્ટેશન બનાવવાનો નિર્ણય તેમની અવગણના સમાન છે. તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો સ્મશાનનો મુખ્ય માર્ગ બંધ થઈ જશે તો મૃતદેહોને લઈ જવામાં ભારે મુશ્કેલી પડશે.
આ વિરોધમાં પૂર્વ ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ પરમાર સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. તેઓએ મહાનગરપાલિકાને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અને દલિત સમુદાયની લાગણીઓને ધ્યાનમાં લેવા માટે લેખિતમાં મહાનગરપાલિકાના ડે.કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ તકે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ચાવડા સાહેબે જણાવ્યું હતું કે..




Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top