ચોટીલાના નાયબ કલેક્ટર પ્રાંત એચ.ટી. મકવાણાએ મોજે-અભેપર, તા.થાનગઢના એક ખેડૂત ખાતેદારની વર્ષો જૂની જમીન સંબંધિત ભૂલ સુધારી છે. લઘુભાઇ ગણેશભાઇ ઝેઝરીયા નામના આ ખેડૂત મૂળથી ખેતીની જમીન ધરાવતા હતા અને તેઓ મૂળ ખાતેદાર હોવા છતાં, તેમના ગણોતિયા નંબર ૭/૧૨ ના પાનામાં વર્ષ ૨૦૦૯ના હુકમથી શ્રી સરકાર દાખલ થયું હતું.
આ બાબતે લઘુભાઇ ઝેઝરીયાએ બે મહિના પહેલાં નાયબ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી. તેમની અરજીની ચકાસણી કર્યા બાદ પ્રશ્ન યોગ્ય જણાતા, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ત્યારે તા.૨૩/૦૪/૨૦૨૫ રોજ તેમના પુત્ર અશ્વિનભાઈ ઝેઝરીયાને ક્ષતિ સુધારા અંગેનો હુકમ એનાયત કરવામાં આવ્યો હતો. આમ, નાયબ કલેક્ટરની ત્વરિત અને સકારાત્મક કાર્યવાહીથી વર્ષોથી ચાલી આવતી ભૂલનું નિવારણ આવ્યું છે અને ખેડૂત પરિવારને તેમની જમીનનો હક્ક ફરીથી પ્રાપ્ત થયો છે. આ ઘટનાથી અન્ય ખેડૂતોને પણ તેમની જમીન સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે પ્રેરણા મળશે.
આ બાબતે લઘુભાઇ ઝેઝરીયાએ બે મહિના પહેલાં નાયબ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી. તેમની અરજીની ચકાસણી કર્યા બાદ પ્રશ્ન યોગ્ય જણાતા, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ત્યારે તા.૨૩/૦૪/૨૦૨૫ રોજ તેમના પુત્ર અશ્વિનભાઈ ઝેઝરીયાને ક્ષતિ સુધારા અંગેનો હુકમ એનાયત કરવામાં આવ્યો હતો. આમ, નાયબ કલેક્ટરની ત્વરિત અને સકારાત્મક કાર્યવાહીથી વર્ષોથી ચાલી આવતી ભૂલનું નિવારણ આવ્યું છે અને ખેડૂત પરિવારને તેમની જમીનનો હક્ક ફરીથી પ્રાપ્ત થયો છે. આ ઘટનાથી અન્ય ખેડૂતોને પણ તેમની જમીન સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે પ્રેરણા મળશે.