સુરેન્દ્રનગર શહેરમાં આડેધડ લારી ગલ્લાવાળાઓ સામે મહાનગરપાલિકા (મનપા)ની ટીમ દ્વારા ચાલી રહેલી કાર્યવાહીને લઈને લારી ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કાર્યવાહીના વિરોધમાં તા. ૨૫મી એપ્રિલે પતરાવાળી ચોક આસપાસના લારી ધારકો મનપા કચેરી ખાતે દોડી આવી તેમની સામે થઈ રહેલી દંડાત્મક કાર્યવાહી અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.આ અંગે લારી ધારકોએ આક્ષેપ કર્યો હતો કે મનપાના કર્મચારીઓ દ્વારા તેમની સાથે મનસ્વી રીતે વર્તન કરવામાં આવે છે અને તેમને ગેરવર્તન તેમજ હડધૂત કરવામાં આવે છે. તેઓએ જણાવ્યું હતું કે દંડની આ કાર્યવાહીના ભાગરૂપે રોજ તેમના વેપારના કાંટા જપ્ત કરવામાં આવે છે? અને તેમની પાસેથી રૂ. ૨૦૦ થી ૪૦૦ સુધીનો દંડ વસૂલવામાં આવે છે.!
લારી ધારકોએ પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ દંડના કારણે તેમની આખા દિવસની કમાણી દંડ ભરવામાં જ ચાલી જાય છે.! આ કાર્યવાહીથી ત્રસ્ત થયેલા લારી ધારકોએ મનપા સમક્ષ ન્યાયની માંગણી કરી હતી અને આ દંડાત્મક કાર્યવાહીનો સખત વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ માંગ કરી હતી.!
લારી ધારકોએ પોતાનો રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ દંડના કારણે તેમની આખા દિવસની કમાણી દંડ ભરવામાં જ ચાલી જાય છે.! આ કાર્યવાહીથી ત્રસ્ત થયેલા લારી ધારકોએ મનપા સમક્ષ ન્યાયની માંગણી કરી હતી અને આ દંડાત્મક કાર્યવાહીનો સખત વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ માંગ કરી હતી.!