વર્ષો બાદ અમદાવાદ ખાતે તારીખ 8 અને 9 એપ્રિલ ના રોજ કૉંગ્રેસનું મહાઅધિવેશન યોજાશે: મહાઅધિવેશને લઈ સુરેન્દ્રનગર કૉંગ્રેસ દ્વારા ત્યારીઓ શરૂ કરવામાં આવી રહી છે.
મહાત્મા ગાંધી કૉંગ્રેસ પ્રમુખ બન્યા તેને 100 વર્ષ પૂર્ણ થતા અને સરદાર પટેલ ની પણ 150મી જન્મ જયંતિ ના બેવડા અવસરે કૉંગ્રેસ દ્વારા અંદાજે 64 વર્ષ બાદ અમદાવાદ ખાતે સાબરમતી તટે રાષ્ટ્રીય સ્તરનું મહા અધિવેશન યોજવાની જાહેરાત કરાઈ છે. અમદાવાદ ખાતે કોંગ્રેસ દ્વારા યોજાનારા મહા અધિવેશનમાં 3,000 થી વધુ ડેલિગેટ તથા આગેવાનો ઉપસ્થિત રહેવાની ધારણા સિવાઈ છે. કોંગ્રેસ દ્વારા આયોજિત રાષ્ટ્રીય મહા અધિવેશનમાં સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસી આગેવાનો નવસાદ ભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ, પ્રદ્યુમનસિંહ પરમાર, નિલેશભાઈ વાઘેલા, મનીષ શાહ, મનુભાઈ પટેલ સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. એમ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નવસાદભાઈ સોલંકી અને ઉપસ્થિત આગેવાનોએ માહિતી આપી હતી.(અહેવાલ: દેવજી ભરવાડ, સુરેન્દ્રનગર)