ચૈત્ર સુદ નોમ ના પવિત્ર દિનને રામનવમી પર્વ તરીકે મનાવવામાં આવ્યો

0

સુરેન્દ્રનગર જીલ્લાના મુળીના સરા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો અવતરણ દિન એટલે કે  ચૈત્ર સુદ નોમ ના પવિત્ર દિનને રામનવમી પર્વ તરીકે મનાવવામાં આવે છે. હિંદુ ધર્મમાં રામ નવમીનું વિશેષ મહત્વ છે, જે દર વર્ષે ચૈત્ર સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે. રામ નવમીને ભગવાન રામની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન રામની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને તમામ મુશ્કેલીઓથી છૂટકારો મળે છે. 

આ દિને રામ ભક્તો વિવિધ પ્રકારે પુજા, અર્ચના કરી મહાપ્રસાદનું આયોજન કરી ઉજવણી કરે છે. ત્યારે મુળી તાલુકાના સરા ગામમાં પણ ઉત્સાહભેર રામનવમીની ઉજવણી કરવામાં આવે છે. સરા ગામમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બજરંગ દળના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, ગામના આગેવાનો ઉપરાંત અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રામાં જય શ્રી રામ ના નારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top