સુરેન્દ્રનગરમાં આવેલ વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર હર્ષાબેન પ્રકાશભાઈ કુંવરજી શાહ બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્ર તથા ચંદ્રાબેન મધુસુદન શાહ શિવણ તાલીમ કેન્દ્ર ની તાલીમાર્થી ઓ ની નવી બેન્ચ નો સુભારંભ કાર્યક્રમ વઢવાણના પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજ ભાઈ કેલ્લા ના પ્રમુખ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમ નુ દિપપ્રગટ્ય ડો રૂદ્રસિંહ ઝાલા, ડો અલ્પેશ ગોહિલ,બ્રિન્દા ઠક્કર,રમેશભાઈ દવે એ કર્યું હતું.આ કાર્યક્રમ માં તાલીમાર્થી ઓ ને સંસ્થા દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવા માં આવ્યું હતું.
આ કાર્યક્રમ નુ સંચાલન સંસ્થાપક રાજેશ રાવલે કર્યું હતું કાર્યક્રમ ની સફળતા માટે આનંદ રાવલ તથા નિર્ધાર ટીમના બહેનો એ જહેમત ઉઠાવી હતી.